> તાલુકા કક્ષા નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન તા4/5 ઓક્ટોમ્બર -2013 ના રોજ ડો.એ.પી.જે અબ્દુલ કલામ નગરી વડોદર ખાતે યોજાઈ ગયો
>શ્રી એચ એ કડેચા સાહેબ (તાલુકા વિકાસ અધિકારી ) દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું ઉદઘાટન કરવા માં આવ્યું
>કૃતિ લાવનાર દરેક સ્કુલ ને સ્વ.કાનજીભાઈ કરનાભાઈ ડાંગર સ્મૃતિ ચિન્હ શ્રી જીગ્નેશભાઈ ડાંગર (પી.એસ.આઈ -અમદાવાદ )તરફથી આપવામાં આવ્યા હતા
>આમંત્રણ પત્રિકા નો ખર્ચ શ્રી કિશોરભાઈ દેદકિયા તરફ થી આપવા માં આવ્યો હતો
>સાંજ નું ભોજન તમામ ધોરાજી તાલુકા ના સી.આર.સી કો.ઓર્ડીનેટર તરફ થી આપવા માં આવ્યું હતું
>નાસ્તા ખર્ચ ધોરાજી તાલુકા પ્રાથમિક સંઘ તરફથી આપવામાં આવ્યું હતું
>આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં કુલ પાંચ વિભાગ માં કુલ 21 કૃતિ ઓ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં પ્રદર્શિત કરવા માં આવી હતી
>આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં તાલુકા ની તમામ શાળા નું કુલ 4800 બાળકો તથા 1500 ગ્રામ્ય જનો એ પ્રદર્શન નો લાભ લીધો હતો
> તાલુકા કક્ષા એ વિજેતા થઇ જીલ્લા કક્ષા એ કુલ ચાર શાળા ભાગ લેશે ૧;શાળા નંબર-14 ધોરાજી /શાળા નંબર-૬ ધોરાજી /વેગળી પ્રા શાળા ન તથા ચિચોડ પ્રા .શાળા
> સમાપન સમારોહ માં શ્રી બી.વી બકુત્રા સાહેબ (મામલતદાર શ્રી )કડેચા સાહેબ (તાલુકા વિકાસ અધિકારી સાહેબ )તથા શ્રી રાજુભાઈ ડાંગર ઉપસ્થિત રહી વિજેતા ઓ ને શિલ્ડ અર્પણ કાર્ય હતા
>ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ની સાથોસાથ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ ના ભાગ રૂપે સ્વામી જી ના પુસ્તક પ્રદર્શન તથા પુસ્તક વેચાણ નું આયોજન કરવા માં આવ્યું હતું
>પ્રજ્ઞા વર્ગ નિદર્શન પણ રાખવા માં આવ્યું હતું ,
No comments:
Post a Comment